Home Bibles નહેમ્યા 7 · ગુજરાતી બાઇબલ ||

નહેમ્યા

Chapter 7

ગુજરાતી બાઇબલ
1હવે દીવાલ બંધાઇ ચૂકી હતી અને તેના દરવાજાઓ જગ્યા પર ઊભા કરવામાં આવ્યાં હતા અને દ્વારપાળો, ગવૈયાઓ અને લેવીઓની નિમણૂંક કરવામાં આવી. 2ત્યારે યરૂશાલેમનાં વહીવટની જવાબદારી મેં મારા ભાઇ હનાનીને અને કિલ્લાના સેનાપતિ હનાન્યાને સોંપી દીધી; કારણ કે તે ઘણો વિશ્વાસુ હતો તથા બીજા કરતાં દેવથી વિશેષ ડરનારો હતો. 3મેં તેમને કહ્યું, “દિવસ ચઢે ત્યાં સુધી યરૂશાલેમના દરવાજા ખોલવા નહિ, અને જ્યારે હજી પહેરેગીરો ચોકી કરતા હોય ત્યારે તમારે દરવાજા બંધ રાખી અને દરવાજા પર કમાડ વાસી દેવા. યરૂશાલેમના વતની ઓમાંથી તમારે પહેરેગીરો નીમવા. કેટલાક ચોક્કસ જગ્યાએ ચોકીઓ સંભાળે અને બાકીના પોતાના ઘર આગળ ચોકી કરે.” 4શહેરનો વિસ્તાર ખૂબ મોટો હતો; પણ વસ્તી ઓછી હતી અને વધારે ઘરો બંધાયાઁ નહોતાઁ. 5મારા દેવે મને પ્રેરિત કર્યો કે, ઉમરાવોને, અધિકારીઓને અને લોકોને સાથે બોલાવવા અને તેમને ભેગા કરી તેમની કુટુંબવાર નોંધ કરવી. દેશવટેથી જેઓ સૌથી પહેલા આવ્યાં હતા તેઓની વંશાવળીની યાદી મને મળી, તેમાં મને આ લખાણ જોવા મળ્યું કે, 6બાબિલના રાજા નબૂખાદનેસ્સાર દ્વારા જેઓનો દેશનિકાલ કરવામાં આવ્યો હતો. જેઓને બંદીવાન બનાવીને લઇ જવાયાં હતા, તે પ્રાંતના આ લોકો છે. તેઓ યહૂદાના પોતપોતાના નગરોમાં અને યરૂશાલેમમાં પાછા આવ્યા. 7એટલે જેઓ ઝરુબ્બાબેલ, યેશૂઆ, નહેમ્યા, અઝાર્યા, રાઆમ્યા, નાહમાની, મોદેર્ખાય, બિલ્શા, મિસ્પરેથ, બિગ્વાય, નહૂમ તથા બાઅનાહની સાથે આવ્યા તેઓ આ બધાં છે:ઇસ્રાએલના લોકોના પુરુષોની સંખ્યા: 8પારોશના વંશજો 2,172 9શફાટયાના વંશજો 372 10આરાહના વંશજો 652 11પાહાથ-મોઆબના વંશજો એટલે કે યેશૂઆ તથા યોઆબના વંશજો, 2,818 12એલામના વંશજો 1,254 13ઝાત્તૂના વંશજો 845 14ઝાક્કાયના વંશજો 760 15બિન્નૂઇના વંશજો 648 16બેબાયના વંશજો 628 17આઝગાદના વંશજો 2,322 18અદોનીકામના વંશજો 667 19બિગ્વાયના વંશજો 2,067 20આદીનના વંશજો 655 21આટેરના વંશજો એટલે હિઝિક્યા 98 22હાશુમના વંશજો 328 23બેસાયના વંશજો 324 24હારીફના વંશજો 112 25ગિબયોનના વંશજો 95 26બેથલેહેમના તથા નટોફાહના મનુષ્યો 188 27અનાથોથના મનુષ્યો 128 28બેથ-આઝમાવેથના મનુષ્યો 42 29કિર્યાથ-યઆરીમના કફીરાહના તથા બએરોથના મનુષ્યો 743 30રામાના તથા ગેબાના મનુષ્યો 621 31મિખ્માસના મનુષ્યો 122 32બેથેલના તથા આયના મનુષ્યો 123 33નબોના બીજા નગરના મનુષ્યો 52 34એલામના બીજા શહેરના વંશજો 1,254 35હારીમના વંશજો320 36યરીખોના વંશજો 345 37લોદના વંશજો, હાદીદના વંશજો તથા ઓનોના વંશજો 721 38સનાઆહના વંશજો 3,930 39યાજકો: યદાયાના વંશજો,યેશૂઆના કુટુંબના 973 40ઇમ્મેરના વંશજો1052 41પાશહૂરના વંશજો 1,247 42હારીમના વંશજો 1,017 43લેવીઓ: યેશૂઆના અને કાદ્મીએલ અને, હોદૈયાના વંશજોમાંના 74 44ગવૈયાઓ: આસાફના વંશજો 148 45દ્વારપાળો: શાલ્લૂમના વંશજો,આટેર, ટાલ્મોન, આક્કૂબ, હટીટા અને સોબાયના વંશજો 138 46મંદિરના સેવકો: સીહા, હસૂફા અને ટાબ્બાઓથના વંશજો: 47કેરોસના વંશજો, સીઆના વંશજો, પાદોનના વંશજો; 48લબાનાહના વંશજો, હગાબાના વંશજો, સાલ્માયના વંશજો; 49હાનાનના વંશજો, ગિદ્દેલના વંશજો, ગાહારના વંશજો; 50રઆયાના વંશજો, રસીનના વંશજો, નકોદાના વંશજો; 51ગાઝઝામના વંશજો, ઉઝઝાના વંશજો, પાસેઆહના વંશજો; 52બેસાયના વંશજો, મેઉનીમના વંશજો, નફૂશશીમના વંશજો; 53બાકબૂકના વંશજો, હાકૂફાહના વંશજો, હાર્હૂરના વંશજો; 54બાસ્લીથના વંશજો, મહિદાના વંશજો, હાર્શાના વંશજો; 55કાકોર્સના વંશજો, સીસરાના વંશજો, તેમાહના વંશજો; 56નસીઆહના વંશજો અને હટીફાના વંશજો. 57સુલેમાનના સેવકોના વંશજો: સોટાયના વંશજો, સોફેરેથના વંશજો, પરીદાના વંશજો, 58યાઅલાના વંશજો; દાકોર્નના વંશજો; ગિદૃેલના વંશજોે; 59શફાટયાના વંશજો; હાટ્ટીલના વંશજો, પોખેરેથ-હાસ્સબાઇમના વંશજો અને આમોનના વંશજો; 60મંદિરના બધાં સેવકોની તથા સુલેમાનના સેવકોના વંશજો સર્વ મળીને 392 હતા. 61કેટલાક લોકો તેલમેલાહ, તેલ-હાર્શા, કરૂબ, આદૃોન, તથા ઇમ્મેરમાંથી આવ્યા, પરંતુ તેઓ તેમના કુટુંબના પિતૃઓને કે તેમની વંશાવળીને સાબિત કરી શક્યા નહોતા કે તેઓ ઇસ્રાએલના છે. 62તેઓ દલાયાના વંશજો, ટોબિયાના વંશજો તથા નકોદાના વંશજો 642 હતા. 63યાજકોમાંના: હબાયાના વંશજો, હાકકોસના વંશજો અને બાઝિર્લ્લાયના વંશજોએ ગિલયાદી બાઝિર્લ્લાયની પુત્રીઓમાંથી એકની સાથે પરણ્યો હતો, માટે તેઓના નામ પરથી તેનું નામ એ પડ્યું. 64તેઓ તેઓના પરિવારના પૂર્વજોને સાબિત કરી ન શક્યા તેથી તેઓને યાજક તરીકે કાર્ય કરવા દેવામાં આવ્યુ નહિ કારણ તેઓ અયોગ્ય ગણાતા હતા. 65પ્રશાશકે તેઓને કહ્યું કે જ્યાં સુધી, “ઉરીમ અને તુમ્મીમ ધારણ કરનાર એક યાજક ઊભો થાય નહિ ત્યાં સુધી તેઓએ પરમ પવિત્ર વસ્તુઓમાંથી ખાવું નહિ.” 66આખા સમૂહની કુલ સંખ્યા 42,360 હતી. 67જેમા સેવક અને સેવિકાઓની ગણત્રી કરી નહોતી જેઓ 7,337 હતાં અને 245 ગાયક અને ગાયીકાઓ હતા. 68તેઓ પાસે 736 ઘોડા અને 245 ખચ્ચર હતાં. 69તેઓ પાસે 435 ઊંટ અને 6,720 ગધેડાં હતાં. 70પૂર્વજોના કુટુંબોમાંના મુખ્ય આગેવાનોમાંથી કેટલાકે આ કામ માટે ભેટ આપી હતી. પ્રશાસકે 81/2 કિલોસોનું, પચાસ પાત્રો અને 530 યાજકવસ્ત્રો ભંડારમાં આપ્યાં હતા. 71અન્ય પિતૃઓનાં કુટુંબોના આગેવાનોમાંથી કેટલાકે 170 કિલોસોનું તથા 2,200 માનેહચાંદી આ કામ માટે ભંડારમાં આપ્યાં. 72બાકીના લોકોએ જે આપ્યું તે 170 કિલો સોનું, 2,000 માનેહરૂપું તથા 6 યાજકવસ્ત્ર હતાં. 73હવે યાજકો, લેવીઓ, દ્વારપાળો, ગવૈયાઓ, થોડાં લોકો, મંદિરના સેવકો, તથા સર્વ ઇસ્રાએલીઓ તેમનાં પોતપોતાનાં નગરોમાં વસ્યા.

Choose Theme